Wednesday, August 19, 2009

7.શુભેચ્છા...

એક વડીલ મિત્ર ના ૫૧ મા જન્મદિને "રાધા અવતાર" નામ ના પુસ્તક સાથે જન્મદિવસ ની શુભેચ્છા ઓ પાઠવતા લખાયેલા શબ્દો
પૂજ્યશ્રી . . . સ્નેહિશ્રી. . . ભક્તશ્રી. . .
આપના વનાગમન ના આ શુભ દિવસે આ પ્રેમ લક્ષણા ભક્તિ નો પ્રાદુર્ભાવ આપને અર્પણ કરતા આનંદ અનુભવુ છુ. અને સાથે.......
શ્રી રાધાજી અને શ્રી ક્રુશ્નચન્દ્ર જી ના અખુટ અન અનંત પ્રેમ જેવો પ્રેમ આપના પારિવારીક જીવન મા જળવાઈ રહે......
શ્રી ક્રુશ્નચન્દ્ર જી ની આલ્હાદિનિ શક્તિ શ્રી રાધાજી નો આલ્હાદ આપના આગામી વાનપ્રસ્થાસન ને આનંદ અને સંતોષ સભર બનાવે....
શ્રી ક્રુશ્નચન્દ્ર જી અને શ્રી રાધાજી ની વેણુ નુ સ્વર સંગીત આપના આગામી જિવન ને મધુર સંગીત મય ને પરમાનંદ મય બનાવે....
શ્રી ક્રુશ્નચન્દ્ર જી નુ મોર પિછ્ પોતના સુંદર રંગો દ્વારા આપના જિવન ને સ્નેહ તથા વિશુધ્ધ પ્રેમ ના અનંત રંગો થી ભરપૂર કરે.....
શ્રી વૈકુન્ઠેશ્વરિ શ્રી લક્ષ્મીજી પોતનો અખૂટ વૈભવ અને ઐશ્વર્ય આપની પર સદ વરસાવે....
શ્રી ગોલોકેશ્વરિ શ્રી રાધાજી પોતાના પ્રેમ ની ખ્યાતી ની જેમ આપની ખ્યાતી વધારે....

આની સાથે ને આના જેવી અનેક, અનંત શુભછાઓ સાથે આપના જન્મ દિન નિમિત્તે ફુલ પંખ અર્પણ.....

ShyaMa ShrEe ૦૪/૦૭/૨૦૦૮

No comments:

Post a Comment