Thursday, September 17, 2009

11.સ્વ ને


શાને ફોકટ સુણાય એનો સાદ,

નઠારી આશ ને મુકી દે...

શાને અંદર થી તુટુ તુટુ થાય,

નાહક નિશ્વાસ ને મુકી દે...

રોજ મરવુ ને રોજ જીવવુ,

ગોઝારા શ્વાસ ને મુકી દે...

હુ કરુ ને સઘળુ થાય છે,

તેવા દંભી વિશ્વાસ ને મુકી દે...

ShyaMa shrEe

10:30Am

18/09/2009

10.યાચના...


અહી,તહી સર્વે મહી વર્તાય તુ,

એવુ કઈક મારી પાસ યાચુ...

દ્વન્દ્વો ની પાર ની દુનિયા ના,

એવા ગગન નો અવકાશ યાચુ...

હયાતી હોય જ્યા ઈશ ની,

વસુ હું, મોકળાશ યાચુ...

પામવાનુ સુખ જ્યા પૂર્ણ હોય,

પવિત્ર પ્રેમ ની પળ ચાર પાંચ યાચુ...

દંભ ના પડદા ને ફગાવી,

સહજતા નો સંગ્રામ યાચુ...

અહંકાર નુ કવચ તોડી નાખી,

તારા સામર્થ્ય નો સ્વીકાર યાચુ...

જીવ ને શિવ નો ભેદ મુખ્ય,

અપૂર્ણતા ને સંપૂર્ણતા ની સ્વીક્રુતિ,

તારા પૂર્ણ સ્વરુપ ના શરણે આવી

તારી ભક્તિ નો રસથાળ યાચુ...

SHYAMAA SHREE

18/09/2009

10:30AM

9.માનવ...

મીરા ગરકાવ થઈ શ્યામ નામ ના સાગર મા,

એણે તો વિષ ને પણ અમ્રુત બનાવી દીધુ.

નથી હાથ લાગે તેમ કશુ ડૂબી ને માનવ મા,

અમ્રુત તુલ્ય હેત નેય વિષ સમ બનાવી દીધુ.

પ્રેમ ના સ્વાંગ મા ઝળકતા સ્વાર્થે,અપેક્ષાને

લાગણી ના નામ નુ પહેરણ પહેરાવી દીધુ.

પ્રેમ ને માણવાના બહાને,પવિત્રતા પર,

વાસના નુ કાળુ કફન ઓઢાડી દીધુ.

સ્વયં પ્રભુ ને રામ રૂપે અવતરવા નુ મન થાય,

તેવા પીંડ ની કલ્પના નુ નામ હતુ મનુષ્ય,

હવે તો ઈશ્વર ને પણ શરમ આવતી હશે,

કે મે આ માનવ નામ નુ શુ બનાવી દીધુ!!!

શ્યામા શ્રી.
17/09/2009
07:00 Pm.

Thursday, August 20, 2009

8.રંજ...

એ વાત અલગ છે કે,
મારા તળીયાય ના ડૂબ્યા તારા મહી,
બાકી હુ તો તરાપો લઈ ને આવી હતી...

દુઃખ એ નથી કે ના કળી શકી તને હુ,
રંજ એ છે કે, હુ ઝાંઝવે ભીંજાણી હતી !!!
ShyAaMaA ShrEe

21/08/2009

8.30 A:M

Wednesday, August 19, 2009

7.શુભેચ્છા...

એક વડીલ મિત્ર ના ૫૧ મા જન્મદિને "રાધા અવતાર" નામ ના પુસ્તક સાથે જન્મદિવસ ની શુભેચ્છા ઓ પાઠવતા લખાયેલા શબ્દો
પૂજ્યશ્રી . . . સ્નેહિશ્રી. . . ભક્તશ્રી. . .
આપના વનાગમન ના આ શુભ દિવસે આ પ્રેમ લક્ષણા ભક્તિ નો પ્રાદુર્ભાવ આપને અર્પણ કરતા આનંદ અનુભવુ છુ. અને સાથે.......
શ્રી રાધાજી અને શ્રી ક્રુશ્નચન્દ્ર જી ના અખુટ અન અનંત પ્રેમ જેવો પ્રેમ આપના પારિવારીક જીવન મા જળવાઈ રહે......
શ્રી ક્રુશ્નચન્દ્ર જી ની આલ્હાદિનિ શક્તિ શ્રી રાધાજી નો આલ્હાદ આપના આગામી વાનપ્રસ્થાસન ને આનંદ અને સંતોષ સભર બનાવે....
શ્રી ક્રુશ્નચન્દ્ર જી અને શ્રી રાધાજી ની વેણુ નુ સ્વર સંગીત આપના આગામી જિવન ને મધુર સંગીત મય ને પરમાનંદ મય બનાવે....
શ્રી ક્રુશ્નચન્દ્ર જી નુ મોર પિછ્ પોતના સુંદર રંગો દ્વારા આપના જિવન ને સ્નેહ તથા વિશુધ્ધ પ્રેમ ના અનંત રંગો થી ભરપૂર કરે.....
શ્રી વૈકુન્ઠેશ્વરિ શ્રી લક્ષ્મીજી પોતનો અખૂટ વૈભવ અને ઐશ્વર્ય આપની પર સદ વરસાવે....
શ્રી ગોલોકેશ્વરિ શ્રી રાધાજી પોતાના પ્રેમ ની ખ્યાતી ની જેમ આપની ખ્યાતી વધારે....

આની સાથે ને આના જેવી અનેક, અનંત શુભછાઓ સાથે આપના જન્મ દિન નિમિત્તે ફુલ પંખ અર્પણ.....

ShyaMa ShrEe ૦૪/૦૭/૨૦૦૮

Tuesday, August 18, 2009

6.શ્યામાભિષેક ..એક પત્ર

હે શિવ,સાંભળ !!!
આખો શ્રાવણ મહિનો તારા નામ ની માળા ઝપતા,
સિઝનલ ભક્તો નુ કિડિયારુ ઉભરાય છે તારા ડેરે...
ઘરના ઘરડા, રસોડા મા વહુ,દેવ લોક મા દેવો,
વૈકુંઠ મા વિષ્ણુ,ઇન્દ્ર લોક મા ઇન્દ્ર,
ને પાછા રાક્ષસો યે તારા નામ ની માળા ફેરે. . .

ચાલ આજે તને થોડો આરામ આપુ,
તુ લોકો ના કષ્ટ કાપે છે ને,આજે હુ તારો થાક કાપુ,
હમેશા પૂજાયા કરે છે ને મહાદેવ બનીને,
તો આજે તુ બન શ્યામા ને હુ બનુ શિવ.
આજે તને પૂજન કરવનો મોકો આપુ...

પણ હા મારી પણ એક શરત છે,
પૂજા મારી છે એટલે મારા પ્રમાણે થવી જોઇયે...
તુ તો ભોળાનાથ છે.
તને તો ભભૂત,બિલી પત્ર અને દૂધ થી ચાલી જાય છે,
અમે રહ્યા મનુષ્ય, ઓછા લાકડે બળીયે એવા નથી.
ને એમાય પેલા તારા વ્હાલા શ્યામડા એ પોતાની માયાઓ ઓછી નથી મુકી...
બળ્યુ તને સંહારક બનાવ્યો એના કરતા સર્જનહાર બનાવ્યો હોત તો સારુ...
શ્મશાન અને હિમાલય ના અપ-ડાઉન મા તને માયા મુકવાનો વિચાર જ ના આવત.
ચાલ જવાદે હવે, જે થઈ ગયુ તે થઈ ગયુ.
હવે હુ મનુષ્ય છુ એટલે મારી જરુરિયાતો ને ધ્યાન મા લઈ ને મારી પૂજા શરુ કર...

દૂધ,દહિ,ઘી,મધ,સાકર વાળા પંચામ્રુત ની સામે
પ્રેમ,વિષ્વાસ,શ્રધ્ધા,સન્માન અને સત્કર્મ નાપંચામ્રુત નો અભિષેક કર. . . .
ત્રણ પંદડા વાળા બીલી પત્ર ની સામે,શીલ,સંતોષ અને શાન્તિ નુ ત્રિપત્ર ચઢાવ...
કાળા તલ અને દૂધ ની સામે,
સૂવિચારો અને તેમા અમલિકરણ દ્વારા સાફલ્ય નો,અભિષેક કર...
સાકર ના લાડુ ની સામે,પારિવારીક સંબંધો મા પ્રેમ નો ભોગ ધરાવ...
ગંધ,ધૂપ,અત્તર,અગરબત્તી ની સામે,સેવા કર્મો દ્વારા મારી સૂવાસ દૂર દૂર સૂધી ફેલાવ...
ઘંટા નાદ ની સામે તારા ડમરૂ ના નાદ થી મારા પથ ની બધી જ,અડચણો દૂર કર...
હવે આરતી માટે શુ કરીશ?
તુ તો મહાદેવ છે
તને તો પ્રસંશા સાભળવાની ટેવ છે,
સારુ ચાલ તારા માટે થઈ ને એ પણ સહન કરવા તૈયાર,
ને આમ પણ તારા દ્વારા પૂજાયા પછી પ્રસંશા ને પાત્ર થઈ જ ગઈ ને વળી હુ !

હુ તને આશિર્વાદ મા શુ આપુ ?
તુ તો ત્રીલોકી નાથ છે,
તારી એક લટ ના તોલે તો કુબેર નો ભંડાર પણ ઓછો પડે છે.
ને આમ પણ તુ તો ભાવ નો ભુખ્યો છે.
ચાલ એક કામ કરુ,
મારી ભક્તિ ને એક નવો ઓપ આપી,
આજે હુ પણ મારા ભાવ થી તારા માટે કઈક સર્જન કરુ.
ને મારો આ શ્યામભિષેક નામ નો પત્ર તને અર્પણ કરુ !!!

ShyaMa.. shreE

19/08/2009

5.શોઘ

શોધ્યા કરુ છુ કૈક, જે મળતુ નથી.
સર્જાયુ હશે કે કેમ, એ પ્રશ્ન છે.
હે ઈશ્વર...
હવે તો તારા પર શંકા થાય છે
ખરેખર તુ જ સર્જનહાર છે ને ?
શ્યામા શ્રી