Tuesday, August 18, 2009

4.રચના ?

હુ કૈ સર્જન હાર નથી તો રચનાઓ કરુ,
આતો તમે યાદ આવ્યા ને શબ્દો નીકળી પડ્યા...
કોઇએ કહ્યુ એને ગીત કોઇએ ગઝલ કે કવિતા,
તો કોઇ એ અછન્દસ કહી ને વખાણી કાઢ્યા...
પણ કોઇએ એ ના પુછ્યુ કે એવુ તો શુ હતુ ?
કેમ અચાનક આટલા બધા સ્ફુરણો નીકળી ગયા...
એવી તો કેવી અવ્યક્ત મનોદશા હતી ?
કે જેને વ્યક્ત કરવા માટે લખવા ની જરુર પડે ?
કેમ સમજાવુ આપ સર્વે ને કે આ કોઇ રચના નથી,
આ તો મારી વ્યાકુળતા,વિહવળતા અને,
અસહ્ય વિયોગિ વેદના નુ વાન્ગમય સ્વરુપ છે...
હવે કહો ! વેદના,વ્યાકુળતા કે વિહ્વળતા,
કોઇ વખાણવા ની વાત છે ?
હવે વખાણવુ કે વખોડવુ એ આપને સોપ્યુ...
લાગણી ને શબ્દ સ્વરુપ આપવા નો આઘાર,
પ્રસંશા નથી...

sHyaaMa shReE

18/18/2009

2 comments:

  1. Dear Shyamaa,

    Good I like your words....natural and experienced.
    Keep it up.....Muje jiski tals thi vo Kavita aaj tumhare rup me mil gai he.

    Keep it up and have a good day.

    May god give you every success in your life.

    ReplyDelete